ધ્રાંગધ્રા તાલુકાના બે પત્રકારો ઉપર અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો હુમલાનું કારણ અકબંધ ઘટનાની જાણ થતાં જ પત્રકારો હોસ્પિટલ દોડી ગયા
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધ્રાંગધ્રા તાલુકા ના બે પત્રકારો ઉપર હુમલો થયા ની ઘટના બનવા પામી છે જેમાં
ધ્રાંગધ્રા ખાતે પત્રકારત્વ કરતા ઋતુલકુમાર ધામેચા તથા રામદેવ સિંહ ઝાલા નામના બે મીડિયા કર્મીઓ ઉપર કાર લાઈન આવેલા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ ધારીયું, લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરી નાશી ગયા હતા બન્ને ઘાયલ પત્રકારોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ધ્રાંગધ્રા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપી ફ્રેકચર તેમજ માથાના ભાગે ઈજાઓ ની ગંભીરતાને પગલે વધું સારવાર અર્થે સુરેન્દ્રનગર ની સી.યુ શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી જ્યાંરે હુમલાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી
રિપોર્ટર –
બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર